કેશોદના નાની ઘંસારી ગામે શીવ મંદિરે ૫૧ દિવડાનો શણગાર કરવામાં આવ્યો - At This Time

કેશોદના નાની ઘંસારી ગામે શીવ મંદિરે ૫૧ દિવડાનો શણગાર કરવામાં આવ્યો


કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ પ્રાચીન શિવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે જુદા જુદા શણગારો જલાભિષેક ૐ નમઃ શિવાય મંત્રોચ્ચાર સાથે ભાવ પુર્વક ભોળાનાથી પુજા અર્ચના આરતી કરવામાં આવેછે શિવ મંદિરના પુજારી કલ્પેશ બાપુ દ્વારા શિવ મંદિરે નિયમીત પુજા અર્ચના આરતી કરવામાં આવેછે

શ્રાવણ મહીનામાં દરરોજ વિવિધ શણગારો કરવામા આવેછે ભોળાનાથને  ૐ નમઃ શિવાય મંત્રોચ્ચાર સાથે 

બિલીપત્ર જળાભિષેક કરવામા આવેછે હાલમાં પવિત્ર શ્રાવણ માસ નિમીતે શિવ મંદિરે એકાવન દિપમાળાના શણગાર સાથે શિવ મંદિરે ભોળાનાથને વિવિધ ફુલો સાથે લીંબડાના પાન આસોપાલવ બિલીપત્રથી શણગારવા આવેલ તેમજ સંદયા મહા આરતીના દર્શન યોજાયા હતા જેનો શિવ ભક્તોએ લાભ લીધો હતો શ્રાવણ માસમાં વિવિધ શણગારો સાથે ભોળાનાથના ભક્તિભાવ સાથે પુજા અર્ચના કરવામાં આવેછે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.