રસ્તો પહોળો કરવા તંત્ર આપેછે એકબીજાને ખો - At This Time

રસ્તો પહોળો કરવા તંત્ર આપેછે એકબીજાને ખો


માણાવદરના ખડીયા ગામેથી પસાર થતો પાંચ ગામોને જોડતો ૩૩ ફુટનો જુનો રાજમાર્ગ ખુલ્લો કરાવવામાં તંત્ર કચેરી કામગીરીની એક બીજાને ખો આપી રહ્યાછે

અનેક ખેડુતોએ સ્વયંભુ રસ્તો ખુલ્લો કર્યો ત્રણ ખેડુતોએ રાજકીય વગના જોરે વિવિદના કારણે નવા પરિપત્ર મુજબ અમલવારી થશે કે કેમ તે જોવાનું રહ્યું 

જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખડીયા ગામેથી પસાર થતો ૩૩ ફુટનો જુનો રાજમાર્ગ જે ખડીયાથી ડુંગરી છત્રાસા સહીતના ગામોને જોડતો જુનો રાજમાર્ગછે જેમાં મોટાભાગના ખેડુતોએ સ્વયંભુ રસ્તો ખુલ્લો કરેલ હોય જેમાનાં ત્રણ જેટલા ખેડુતોએ રાજકીય વગના જોરે વિવાદ કરતા જુના રાજમાર્ગનું કામ બંધ હોય જે બાબતે ચંદુ લખમણ સેરઠીયાએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યુંછે કે ગુજરાત સરકાર મહેસુલ વિભાગ દ્વારા જારી કરાયેલ પરીપત્ર ક્રમાંક દબાણ ૧૦૨૦૧૦/૧૦૧૬/લ, સચીવાલય, ગાંધીનગર તા. ૧૬. ૭. ૨૦૨૨ પરત્વે જાહેર રસ્તામાં કરાયેલ દબાણ ખુલ્લુ કરવા બે વર્ષથી સામુહીક લેખીત ફરીયાદના પડતર પ્રશ્ને એકબીજી સંદર્ભનિર્દિષ્ટ કચેરીઓ રાજકીય કારણોસર મલીન બદઈરાદે દબાણકર્તા ઈસમોને છાવરી કામની ખો આપી રહયાછે  પરીપત્ર મુજબ કામગીરી નીભાવવામાં નિષ્ફળ રહેલ જવાબદાર અધિકારીઓ સામે શિસ્ત વિષયક પગલા લઈ દબાણ દૂર કરવા તેમજ વિશેષ આર.સી.પી.એસ. એકટ ૨૦૧૩ ના પ્રકરણ 9 ના પેરા ૨૩ હેઠળ સેવાકીય કામગીરી આજદીન સુધી નહી કરવા સામે દંડનીય ખાતાકીય કાર્યવાહી કરી આ સામુહીક લેખીત ફરીયાદ અરજીનો પ્રત્યુતર આપવા તેમજ તાલુકા સ્વાગત તથા જિલ્લા સ્વાગતમાં અરજીઓની રીમાઈન્ડરો કરેલ અંગે કયારે સાંભળવામાં આવશે તેનો સ્પષ્ટતા સહ પત્યુત્તર આપવા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવીછે

સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના પર થતુ અનિકૃત દબાણ અટકાવવા ગુજરાત સરકાર અવાર નવાર પરીપત્રો જારી કરીને વારંવાર સુચનાઓ આપેછે તેની ઐસી તૈસી કરતા અને બદઈરાદે દબાણ કર્તા ઈસમોને યેનકેન પ્રકારે બાનાબાજી કરી છાવરતા જવાબદાર અધિકારીઓ સેવાકીય કામગીરીમાં દખલગીરી કરી ઉક્ત વિષયે જણાવેલ પરીપત્ર તથા સંદર્ભીત પુરાવા લીસ્ટ અન્વયે કામગીરી નિભાવવામાં નિષ્ફળ રહેલ મહેસુલી કર્મચારી/અધિકારીઓ સામે જવાબદારી નકકી કરી શિસ્ત વિષયક પગલા લઈ તેમજ વિશેષમાં આર.સી.પી.એસ. એકટ-૨૦૧૩ ના પ્રકરણ-૭ ના પેરા ૨૩ હેઠળ સેવાકીય કામગીરી આજદીન સુધી બદઈરાદે નહી કરતા જવાબદાર મહેસુલ કર્મચારી/અધિકારીઓ સામે દંડનીય ખાતાકીય કાર્યવાહી કરી જાહેર હીતની સામુહિક લેખીત ફરીયાદ અરજીને તાત્કાલિક કાયમી નીરાકરણ કરી પ્રત્યુત્તર આપવાની માંગ સાથે ચંદુલાલ લખમણ સેરઠીયાએ તથા સામાજીક કાર્યકર ગોરધન જે. વાછાણીએ રજુઆત કરીછે ત્યારે રાજકીય વગ ધરાવતા ખેડુતોને છાવરતું અને એક બીજાને ખો આપતુ તંત્ર રાજમાર્ગ ખુલ્લો કરાવશે કે કેમ તે જોવાનું રહ્યું હાલ આ બાબતે તંત્ર સામે ભારે રોષ ફેલાયોછે

માણાવદર વંથલી હાઈવે નરેડી નજીક શોર્ટ કર્ટ થતો ખડીયા ડુંગરી છત્રાસા સહીતના ગામોને જોડતો રાજમાર્ગને દર વર્ષે ખેડુતો સ્વયં પહોળો કરી લોકફાળાથી રીપેરીંગ કરેછે લાંબો સમયથી રસ્તાના પ્રશ્ને ખેડુતો વારંવાર રજૂઆત કરી રહયાછે છતાં પ્રશ્ન હલ થતો નથી આગામી વિધાનસભાની ચૂંટણી આવવાની હોય ચુંટણી સમયે મત માટે પડાપડી કરતા રાજકીય બાબુઓ માટે રસ્તાનો પ્રશ્ન મુખ્ય મુદો બને તો નવાઈ નહી લોકોના પ્રશોને વાચા આપવી રાજકીય આગેવાનોની ફરજછે ત્યારે રાજકીય આગેવાનો આગળ આવી લોકોના પ્રશ્ન રસ્તાનો કાયમી ઉકેલ લાવવા આગળ આવશે કે ચુંટણી સમયે માઠું પરિણામ ભોગવશે તે આવનારો સમય જ બતાવશે પણ હાલ રસ્તાના પ્રશ્ને ખેડુતોમાં ભારે રોષ ફેલાયોછે સરકારશ્રીની યોજના અંગર્ગત ડામર રોડ બનાવવા માટે સામાજીક કાર્યકર ગોરધનભાઈ વાછાણી તથા ખેડુતો ઉગ્ર માંગ કરી રહયાછે

  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon