આજે ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે - At This Time

આજે ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે


આજે ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે
**********
આર્ડેકતા કોલેજ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્યના ઉપસ્થિતિમાં લાભાર્થીઓને લાભ વિતરણ કરાશે
**********

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આજે તા. ૯ ઓગસ્ટ ૨૦૨૨ મંગળવાર સવારે ૧0:00 કલાકે આર્ડેકતા કોલેજ, નવી મેત્રાણ, ખેડબ્રહ્મા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવશે.
દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને જિલ્લામાં અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં જિલ્લા સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડર ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડીયા તેમજ ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ ઉપસ્થિત રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.