બગસરા અગ્નિ વીરનું પૂરા ગામ દ્વારા વાજતે ગાજતે સન્માન - At This Time

બગસરા અગ્નિ વીરનું પૂરા ગામ દ્વારા વાજતે ગાજતે સન્માન


બગસરામાં ૧૭મી ઓક્ટોબર, ૨૦૨૪ના ગુરુવારે ભવ્ય સ્વાગત શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રાનું આયોજન જલસાણીયા પરિવાર દ્વારા તેમના પુત્ર ઉદયભાઈ ભરતભાઈ જલસાણીયાના અગ્નિવીર (ઇન્ડિયન આર્મી) તાલીમ પૂર્ણ કરીને બગસરા આવવાના અવસરે કરવામાં આવ્યું હતું.

જેમાં સનાતન ગૃપ બગસરા દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, નગરપાલીકા પ્રમુખ જયોત્સનાબેન રીબડીયા, પૂર્વ પ્રમુખ એ.વી. રીબડીયા, શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઈ કોટડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અનિલભાઈ શેખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શોભાયાત્રામાં વિશેષ ઉપસ્થિતિ રજૂ કરી હતી સાંઇનાથ બાપુ, જેરામબાપુ, ઘુસાભગત, બ્રહમચારીબાપુ, વિવેક સ્વામી, વિપુલભગત, સિતારામબાપુ, દયારામબાપુ સહિત અનેક સંતોએ.

શોભાયાત્રા બગસરા ગોકુળપરા રામદેવપીર મંદિરથી શરૂ થઈને હોસ્પીટલ, ગોંડલીયા ચોક, વિજય ચોક, આપાગીગાની જગ્યા, કુંકાવાવ નાકા, સથવારા સમાજનો ચોરો, બંગલીચોક થઈને જુનો ગંજીવાડો ઉગમણો કોળીવાડ જલસાણીયા પરિવારના નિવાસ સ્થાને પૂર્ણ થઈ હતી.

આ સ્વાગત શોભાયાત્રા બગસરામાં એક ભવ્ય અને યાદગાર પ્રસંગ બની રહ્યું હતું.
ટીમ હાર્દિક ચૌહાણ (બગસરા કનેક્ટ)


9909019025
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.