સાળંગપુરધામ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે દાદાને સુવર્ણ વાઘા ધરાવી પર 50 કિલો ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો મંદિરના હજારીગલ ફુલોનો દિવ્ય સુશોભન કરાયું - At This Time

સાળંગપુરધામ ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે દાદાને સુવર્ણ વાઘા ધરાવી પર 50 કિલો ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો મંદિરના હજારીગલ ફુલોનો દિવ્ય સુશોભન કરાયું


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” મહોત્સવ નિમિતે દાદાને સુવર્ણ વાઘા ધરાવી પર 50 કિલો ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્યો. સમગ્ર મંદિરને હજારીગલ ફુલો વડે દિવ્ય સુશોભન કરાયું સવારે ૫ કલાકે ગુરુ પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી તથા સવારે ૭ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી સાથો સાથ દાદાનું બર્થ ડે સેલિબ્રેશન, સમૂહ મારુતિ યજ્ઞનો પ્રારંભ અનેક વિધ કાર્યક્રમ નો પ્રારંભ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) વિગેરે સંતો દ્વારા ભક્તો સાથે કરવામાં આવેલ હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image