પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર - At This Time

પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે તા.23-05-2024ને ગુરૂવારના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ.
શ્રીહરિ મંદિરમાં પૂનમ નિમિતે સાંજે 05:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવેલ. ફૂલોનો શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્યા હતા, પુષ્પવર્ષા કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.