બાબસાહેબ આંબેડકર જયંતિ : સામાન્ય પરિવારમાં જન્મ, કેવી રીતે બન્યા ભારતીય બંધારણના પિતા, વાંચો સંઘર્ષની કહાણી - At This Time

બાબસાહેબ આંબેડકર જયંતિ : સામાન્ય પરિવારમાં જન્મ, કેવી રીતે બન્યા ભારતીય બંધારણના પિતા, વાંચો સંઘર્ષની કહાણી


બાબાસાહેબ આંબેડકર જયંતિ દર વર્ષે 14 એપ્રિલે દેશભરમાં ઉજવવામાં આવે છે. ડો. ભીમરામ બાબાસાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જાણકાર હતા. તેમને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. માત્ર ભારત જ નહીં, વિશ્વના અનેક દેશોમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ડો. ભીમરામ બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ પર તેમના જીવન, કાર્ય અને ભારતીય સંવિધાનમાં યોગદાન વિશે જાણીયે

ડો. ભીમરામ બાબાસાહેબ આંબેડકરનું જીવન
ડો. ભીમરામ બાબાસાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891માં મધ્યપ્રદેશના મહુમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્યાલ અને માતાનું નામ ભીમાબાઇ હતું. તેઓ 14 ભાઈ બહેનમાં સૌથી છેલ્લા હતા. તેઓ એક દલિત સમાજમાંથી આવતા હતા બાળપણથી ઘણી મુશ્કેલીઓનો સામનો પડ્યો હતો. આંબેડકર 6 વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયુ.

ભીમરાવના પિતાની મૂળ અટક આમ તો સક્પાલ હતી,જો કે તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના રહેવાસી હતા. આથી શાળામાં ભીમરાવની અટક આંબેડકર રાખવામાં આવેલી. ભીમરામ આંબેડકરના પિતા મિલિટરીમાં સુબેદાર હોદ્દા પર હતા અને લશ્કરી શાળામાં હેડ માસ્ટર હતા. નાનાપણથી તેમને સારા સંસ્કાર મળ્યા હતા. તેમની પત્નીનું નામ રમાબાઈ હતુ.
ભીમરામ આંબેડકરને જીવનમાં નાનપણથી ઘણા સંધર્ષ કરવા પડ્યા છે. તેઓ એક દલિત પરિવારમાંથી આવતા હોવાથી શાળામાં અભ્યાસ દરમિયાન ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમનું સાથે જોડાયેલા ડો.આંબેડકરે બાળપણમાં અનેક યાતનાઓ સહન કરી હતી જેની તેમના વ્યક્તિત્વ પર ઊંડી અસર પડી હતી. તેમણે મુંબઇની એલિફન્સ્ટન હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો અને 1907માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. 1912માં અંગ્રેજી વિષય સાથે મુંબઇ યુનિવર્સિટીમાં બીએની પરીક્ષા પાસ કરી.

ભીમરાવ આંબેડકરને વડોદરાના મહારાજ ગાયકવાડે ભણવા વિદેશ મોકલ્યા
ભીમરાવ આંબેડકરને 1913માં વડોદરાના તત્કાલિન મહારાજ સયાજીરાવ ગાયકવાડે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલ્યા હતા. તેમણે વિદેસમાંથી 1915માં કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી એમએ અને ત્યારબાદ
પીએચડીની ડિગ્રી મેળવી હતી. વિદેશથી પરત આવતા તેમને વડોદરા રાજ્યના મિલિટરી સેક્રેટરી બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેમણે ઘણી કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી.
ભારતના બંધારણના પિતા – ડો. બાબાસાહેસ આંબેડકર
ડો. બાબાસાહેસ આંબડેકર કાયદાશાસ્ત્રી હતા. ભારતના બંધારણી રચનામાં તેમનું અમૂલ્ય યોગદાન છે. આથી તેમને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. આંબેડકર આઝાદી પછી ભારતના પ્રથમ કાયદા અને ન્યાય પ્રધાન બન્યા.

1946માંમાં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. દિલ્હીમાં યોજાયેલી પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા હતા. 29 એપ્રિલ 1947માં બંધારણ સભાએ અશ્પૃશ્યતા કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image