બોટાદમાં ગઢડારોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોટાદ તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભાનું આયોજન રાખવામાંઆવ્યુ - At This Time

બોટાદમાં ગઢડારોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બોટાદ તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભાનું આયોજન રાખવામાંઆવ્યુ


બોટાદ ના ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે તા.૧૬.૧૦.૨૦૨૨ ના રોજ બોટાદ તાલુકાના પેન્શનર મંડળ દ્વારા એક સામાન્ય સભા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સમાજ પેન્શન મંડળ ના પ્રમુખ ભરતભાઇ પટેલ ગુજરાત ફેડરેશન વડોદરા ના પ્રતિનિધિ ભુપતસિંહ વાળા તથા દિલીપ સિંહ પરમાર હાજર રહ્યા હતા તેમજ SBI તથા ICIC ના મેનેજર હાજર રહેલ તેમજ બોટાદ પેન્શન મંડળ ના પ્રમુખ વસંતભાઇ પિપાવત મંત્રી એમ.એમ‌.અલગોતર તથા તેમાં બો.તા પે મં મંત્રી એચ.એન કુરેશી કારોબારી સભ્યો અને ગઢડા બરવાળા રાણપુર તાલુકાના પ્રમુખ મંત્રી હાજર રહ્યા હતા આસરે ૫૦૦. જેટલા પેન્શનર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા જિલ્લાના તમામ પેંશનરો ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ જિલ્લા તિજોરી અધિકારી, સંકલિત બાળવીકાસ અધિકારી વગેરે પણ હાજર રહ્યા હતા, પેંશનર મંડળમાં પોતાનો ફાળો આપનાર પેંશનર ભાઈઓ તથા બહેનોનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ પત્રકાર મિત્રો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું .સમગ્ર કાર્યક્રમ વિશે મંડળના પ્રમુખશ્રી ઉપાધ્યાય સાહેબ દ્વારા મિડિયા ને માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.