શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવુતિ અંતગર્ત આરોગ્ય શિબિર યોજાય - At This Time

શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવુતિ અંતગર્ત આરોગ્ય શિબિર યોજાય


શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવુતિ અંતગર્ત આરોગ્ય શિબિર યોજાય

ભાવનગર નવજીવન સોસાયટી તથા શિશુવિહાર સંસ્થા ની આરોગ્ય પ્રવુતિ અંતગર્ત તા.6 જુલાઈ શનિવાર ના રોજ સાંજ ના 5 થી 7 દરમિયાન અવર લેડી પિલાર ડિસ્પેન્સરી ખેડૂતવાસ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો...જેમાં નિષ્ણાંત ડૉકટર દ્વારા આંખ તપાસ , લોહી માં હિમોગ્લોબીન તપાસ અને ડૉ અરવિંદ ભાઈ ત્રિવેદી દ્વારા જનરલ રોગોનું નિદાન કરી જરૂરીયાતમંદ 65 દર્દીઓને દવા તથા ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું હતું.....આ ઉપરાંત શિશુવિહાર સંસ્થા માં ચાલતા હોમિયોપેથીક ડૉ . અભિલાષા સોનપાલ તથા ફિઝિયોથેરાપી ડૉ.નેહાબેન ભટ્ટ દ્વારા તપાસ કરી માર્ગદર્શન તથા દવા આપવામાં આવી હતી....આ કાર્યક્રમ નું સંકલન નવજીવન સોસાયટી હોસ્પિટલ ના સિસ્ટર શ્રી રોસાલિયા તથા શિશુવિહાર સંસ્થા ના કોડીનેટર શ્રી હિના બહેન ભટ્ટ એ કર્યું હતું....

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.