મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રના સંચાલક, રસોઇયા, મદદનીશની ભરતી અંગેનું જાહેરનામું - At This Time

મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રના સંચાલક, રસોઇયા, મદદનીશની ભરતી અંગેનું જાહેરનામું


મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રના સંચાલક, રસોઇયા, મદદનીશની ભરતી અંગેનું જાહેરનામું
વિજયનગર જિલ્લો: સાબરકાંઠા નીચે મુજબના ખાલી જગ્યાવાળા મધ્યાહન ભોજન કેન્દ્ર ઉપર સનેઃ ૨૦૨૪–૨૫ ના શૈક્ષણિક સત્ર માટે સંચાલક, રસોઇયા, મદદનીશની નિમણૂંક સરકારશ્રીના નિયત કરેલા માસિક ઉચ્ચક માનદવેતન થી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે માન. સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ મભય/૧૦૨૦૧૬/૪૧૫૧૪૧/આર તા:-૦૩/૧૦/૨૦૧૬ની જોગવાઈઓની શરતોને આધિન કરવાની થાય છે. જે અન્વયે અત્રેથી જાહેરનામું તા.૨૦/૦૬/૨૦૨૪ ના રોજ બહાર પાડવામાં આવે છે.

વિજયનગર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક, એક –એક જગ્યા માટે ભરતી જેમાં કેંદ્ર નંબર અને શાળાનું નામ ૧૪-ચિકાણાં, ૨૧-સરસવ, ૨૪-ચંદવાસા, ૨૬-ખોખરા,૨૯-ટોકરા, ૩૪-કાલવણ વસાહત, ૪૫-વીરપુર, ૪૬-વજેપુર, ૫૬-ટોલડુંગરી, ૬૨-કોડીયાવાડા-૧, ૬૬-ગાડી, ૭૮-દંતોડ ૮૨-મસોતા-૧ ૮૪-ભગોરાપાડા ૯૪-નલીયાવાડા ૯૫-ચિત્રોડી-૧ ૧૧૦-પંચવટીકંપા ૧૧૭-સરસવવર્ગ ૧
• રસોઇયાની એક –એક જગ્યા માટે ભરતી
૦-વિજયનગર-૨ ૧૧-વિજયનગર-૩ ૧૮-રાજપુર ૨૫-કેલાવા ૩૮-અદેપુર ૪૮-પરોસડા ૫૭-ઝેર વદરી ૫૮-મોંધરી ૮૪-ભગોરાપાડા ૬૯-દલપતપુરા ૭૭-ચિઠોડા ૮૮-લીમડાવર્ગ ૯૪-નલીયાવાડા ૧૦૧-ચિભડીયા ૧૦૮-ડગલા ૧૧૧-ખેરવા

આ અંગે અરજી ફોર્મ મામલતદાર કચેરી, વિજયનગર ખાતેથી ચાલુ કામકાજનાં દિવસો દરમિયાન મળી શકશે. અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથેની અરજી તાઃ ૨૦/૦૬/૨૦૨૪ થી તાઃ-૦૨/૦૭/૨૦૨૪ સુધીમાં અંત્રેની કચેરીએ (મધ્યાહન ભોજન યોજના શાખા) મોકલી આપવાની રહેશે. નિયત નમુના સિવાયની અધુરી વિગતવાળી તેમજ સમયમર્યાદા બાદની અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. (નોંધઃ-સદરહું જાહેરનામાં અતંર્ગત સંભવિત રૂબરૂ મુલાકાતની તારીખ અને સમય તાઃ-૦૯/૦૭/૨૦૨૪ મંગળવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકનો રહેશે અને જેમાં અરજદારે અરજીને લગતા તમામ અસલ પુરાવા, પ્રમાણપત્ર તથા તેની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે લાવવાની રહેશે. તેમજ સદરહું તારીખ અને સમયે ગેરહાજર રહેનાર અરજદારનો નિમણૂંક અંગેનો કોઈ પણ દાવો પાછળથી ધ્યાને લેવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી.)
વધુમાં, મધ્યાહન ભોજન યોજનાના સંચાલક, રસોઇયા, મદદનીશની નિમણૂંક સંદર્ભે માન.સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ મભય/૧૦૨૦૧૬/૪૧૫૧૪૧/આર, તા:-૦૩/૧૦/૨૦૧૬ ની જોગવાઈઓની શરતો તેમજ વખતો-વખતની સ્થાયી સુચનાઓ અને મામલતદારશ્રીની વિવેકાધિન સત્તાની રૂએ નિમણૂંક આપવાની રહે છે.

આબીદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.