ખેરાલુ કોલેજ દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ - At This Time

ખેરાલુ કોલેજ દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ


આર્ટસ અને કોમર્સ કોલેજ ખેરાલુના એનએસએસ વિભાગ દ્વારા ગાંધી જયંતિ નિમિતે માય ભારત સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજથી સિદ્ધપુર ચાર રસ્તા,નીલકંઠ સોસાયટી,ઋષિવન સોસાયટી, દેસાઈવાડા ડેરી સુધી સ્વચ્છતા રેલી કાઢીને જુદી જુદી સોસાયટીઓમાં અને સિદ્ધપુર ચાર રસ્તા પાસે બિન ઉપયોગી પ્લાસ્ટિક અને કચરો એકઠો કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. રેલી દરમિયાન સોસાયટીઓમાં કાયમ માટે સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. કોલેજના પ્રિ.ડો. બાબુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સ્વચ્છતા રેલીમાં પ્રોગ્રામ ઓફિસર ડો.હર્ષદભાઈ ચૌધરી અને પ્રો.ભરતભાઈ ચૌધરી એ સતત હાજર રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને સુંદર સહકાર પૂરો પાડ્યો હતો.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.