જસદણ સહિત સૌરાષ્ટ્રભરના હજજારો મુસ્લિમોએ હજયાત્રા સંપન્ન કરી - At This Time

જસદણ સહિત સૌરાષ્ટ્રભરના હજજારો મુસ્લિમોએ હજયાત્રા સંપન્ન કરી


જસદણ સહિત સૌરાષ્ટ્રભરના હજજારો મુસ્લિમોએ હજયાત્રા સંપન્ન કરી

ઇસ્લામ ધર્મમાં હજ એટલી મહત્વની માનવામાં આવે છે કે દરેક મુસ્લિમો માટે જીવનમાં ઓછામાં ઓછું એકવાર આ યાત્રા પર જવામાં કહેવામાં આવ્યું છે ઇસ્લામ ધર્મના પાંચ સ્તંભોમાંથી એક ગણાતી હજયાત્રા રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, જસદણ સહિત સૌરાષ્ટ્રના અનેક ગામોના મુસ્લિમોએ હજયાત્રા સંપન્ન કરી પોતાના દેશ પરિવાર માટે અલ્લાહ સમક્ષ આજીજીભરી દુઆ ગુજારી હતી.
જસદણથી પણ ઉદ્યોગપતિ મેમણ હુશેનભાઈ ગફારભાઈ ખીમાણીના સહ પરિવારના પાંચ સભ્યો પણ હજયાત્રા પર ગયાં હતાં કોરોના મહામારીના કારણોસર ૨૦૧૯ પછી આ વખતે ૨૦૨૨ મા સાઉદી અરેબિયા સરકારે દિલ ખોલી દુનિયાભરના અંદાજે દસ લાખ જેટલાં મુસ્લિમ બિરાદરોને હજયાત્રાને મંજૂરી આપતાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મક્કા પહોંચી પોતાની અલ્લાહ પ્રત્યેની શ્રદ્ધા વધું મજબુત બનાવી હતી આ વર્ષે સાઉદી સરકાર તરફથી કોઈ મહામારી ન ફેલાય તે માટે આરોગ્ય વ્યવસ્થા સજજડ ગોઠવી હતી એમ યાત્રાળુઓએ એક ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. હજયાત્રા સમાપન પછી દેશના કોઈ યાત્રી રોકાશે કોઈ દેશ પરત ફરશે ત્યારે હાલ સૌરાષ્ટ્રવાસીઓએ દેશની પ્રગતિ ભાઈચારા અંગે દુઆ પ્રાથના કરી હેમખેમ હજયાત્રા સંપન્ન કરી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.