સોનાક્ષીએ પિતા શત્રુઘ્નને 'શત્રુ' માન્યા?:લગ્ન વિશે કહ્યું, 'મારે કોઈની સાથે લેવાદેવા નથી, મારી પર્સનલ ચોઇસ છે', પિતાએ કહેલું-'આજકાલના છોકરા કંઈ પૂછતા નથી' - At This Time

સોનાક્ષીએ પિતા શત્રુઘ્નને ‘શત્રુ’ માન્યા?:લગ્ન વિશે કહ્યું, ‘મારે કોઈની સાથે લેવાદેવા નથી, મારી પર્સનલ ચોઇસ છે’, પિતાએ કહેલું-‘આજકાલના છોકરા કંઈ પૂછતા નથી’


છેલ્લા કેટલાક દિવસથી સોનાક્ષી સિંહા તેના લગ્નને કારણે ચર્ચામાં છે. છેલ્લા થોડા દિવસથી મીડિયામાં વાતો ચાલી રહી છે કે સોનાક્ષી 23 જૂને એક્ટર ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેણે આ અંગે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. તો બીજી તરફ સોનાક્ષી તેના પરિવાર વિરુદ્ધ જઈને ઝહીર સાથે લગ્ન કરવા જઈ રહી છે. સોનાક્ષીના ભાઈ લવ સિન્હા અને પિતાએ પણ લગ્નના સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. લગ્નના સમાચાર સાંભળીને સોનાક્ષી લાલઘૂમ થઈ
IDIVA ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં સોનાક્ષીએ કહ્યું, ‘પહેલી વાત એ છે કે તેને કોઈની સાથે કોઈ લેવાદેવા નથી. બીજું, આ મારી પસંદગી છે, તેથી મને સમજાતું નથી કે લોકો આટલી ચિંતા કેમ કરે છે. જ્યારે લોકો મને મારા લગ્ન વિશે મારાં માતાપિતા કરતાં વધારે પ્રશ્નો પૂછે છે ત્યારે મને એ ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે. મને હવે એની આદત છે એટલે હવે વાંધો નથી. જો લોકો આ જાણવા માટે ઉત્સુક હોય તો તે શું કરી શકે?’ સોનાક્ષીએ કહ્યું- 'હું મારાં માતા-પિતા સાથે રહું છું'
સોનાક્ષી અને ઝહીર વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે બંને લગભગ એક વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. સોનાક્ષીએ ‘ગલાટા ઈન્ડિયા’ને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ આ વિશે વાત કરી હતી. જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે શું તે મુંબઈમાં તેનાં માતાપિતા સાથે નથી રહેતી, આ સવાલના જવાબમાં કહ્યું, 'જ્યારે લોકો જે સાંભળે છે એ વિચાર્યા વિના માને છે ત્યારે આવું થાય છે. હું હજી પણ મારાં માતાપિતાના ઘરે રહું છું. મારું પોતાનું ઘર પણ છે, જ્યાં હું મિટિંગ્સ અને ઈવેન્ટ્સ માટે તૈયાર થવા જાઉં છું, પણ કામ પૂરું કર્યા પછી હું મારાં માતાપિતાના ઘરે સૂવા જાઉં છું. રજિસ્ટર્ડ લગ્નની ચર્ચા
‘ઝૂમ’ના રિપોર્ટ અનુસાર, સોનાક્ષી અને ઝહીરના 23 જૂને રજિસ્ટર્ડ લગ્ન થશે, ત્યાર બાદ વેડિંગ પાર્ટી હશે. સોનાક્ષીના મિત્રએ કહ્યું, 'મને 23 જૂને લગ્નની ઉજવણીમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. જ્યાં સુધી મને ખબર છે તે બંને 23મી જૂને સવારે રજિસ્ટર્ડ મેરેજ કરશે. આમંત્રણમાં લગ્નની વિધિનો કોઈ ઉલ્લેખ નથી, માત્ર પાર્ટી હશે એવો ઉલ્લેખ છે. આ વચ્ચે એક્ટ્રેસના પિતા અને ભાઈએ લગ્નની વાતનો નનૈયો ભણી દીધો હતો. 'મને આ બાબતે કઈ ખબર નથી' : લવ સિન્હા
એક ઇન્ટરવ્યૂમાં લવ સિન્હાએ કહ્યું હતું કે તે હાલ મુંબઈમાં નથી. આ સિવાય તેણે કહ્યું હતું કે 'મને આ બાબતમાં કંઈ ખબર નથી, મારું આના પર રિએક્શન આપવા અથવા કોઈપણ રીતે સામેલ થવાનો કોઈ ઈરાદો નથી.' તેણે આ સવાલોથી અંતર જાળવી રાખ્યું છે. જાણો શું કહ્યું શત્રુઘ્ન સિન્હાએ
ઝૂમ સાથેની ખાસ વાતચીતમાં જ્યારે શત્રુઘ્ન સિન્હાને તેમની પુત્રી સોનાક્ષીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'હું દિલ્હીમાં છું. ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારથી હું અહીં છું. મેં હજી સુધી મારી દીકરી સાથે તેની યોજના વિશે વાત કરી નથી. તેણે પણ મને હજુ સુધી કશું કહ્યું નથી. મીડિયામાં મેં જે વાંચ્યું છે એ જ હું જાણું છું. તે જ્યારે પણ મારી સાથે આ અંગે વાત કરશે ત્યારે મારા આશીર્વાદ તેની સાથે હશે. અમે ઈચ્છીએ છીએ કે તેને દુનિયાની બધી ખુશીઓ મળે.' 'આજકાલનાં બાળકો પૂછવું જરૂરી નથી સમજતાં'- શત્રુઘ્ન સિન્હા
શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું, 'અમને અમારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. તે કોઈ ખોટો નિર્ણય નહીં લે. તે પુખ્ત છે અને પોતાના નિર્ણયો લઈ શકે છે. જ્યારે પણ તેના લગ્ન થશે, હું તેના લગ્નના વરઘોડાની સામે નાચીશ. શુત્રઘ્ન સિન્હાએ આગળ કહ્યું,- 'લોકો મને લગ્ન વિશે પ્રશ્નો પૂછે અને કહે છે કે તમે આ વિશે કશું જાણતા નથી અને મીડિયા બધું જ જાણે છે. આના પર હું એટલું જ કહેવા માગીશ કે આજકાલનાં બાળકો તેમનાં માતા-પિતાને પૂછતાં નથી, તેઓ માત્ર આવીને કહે છે. અમે કહેવાની રાહ જોઈ રહ્યા છીએ.' સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર ઈવેન્ટ્સમાં સાથે જોવા મળતાં હતાં, પરંતુ બંનેએ પોતાના સંબંધો અંગે મૌન સેવ્યું હતું. હવે આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. લગ્નની પાર્ટીમાં ઘણા સેલેબ્સ હાજરી આપશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નની પાર્ટીમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજરી આપશે. ગેસ્ટ લિસ્ટમાં આયુષ શર્મા, હુમા કુરેશી, વરુણ શર્મા, સંજય લીલા ભણસાલી, ફરદીન ખાન, તાહા શાહ, અદિતિ રાવ હૈદરી, શર્મિન સહગલનાં નામ સામેલ છે, જેમને લગ્નનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની પાર્ટી શિલ્પા શેટ્ટીની પ્રખ્યાત રેસ્ટોરન્ટ બાસ્ટન ખાતે યોજાશે, જે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં સ્થિત છે. કપલ 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરે છે
અત્યારસુધી આ અટકળો પર સોનાક્ષી, ઝહીર અને તેમના પરિવાર તરફથી રિએક્શન આપવામાં નથી આવ્યું. સોનાક્ષી અને ઝહીર છેલ્લાં 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ભલે તે બંને સાથે હેંગઆઉટ અને પાર્ટી કરતાં જોવા મળે છે, પરંતુ તેમણે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોને સ્વીકાર્યાં નથી. બંને હંમેશાં મીડિયા સામે એકબીજાના માત્ર મિત્ર હોવાનું કહેતા હતા. 6 જૂન, 2022ના રોજ ઝહીરે સો.મીડિયામાં લેડીલવને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કરીને 'આઇ લવ યુ' કહ્યું હતું. સોનાક્ષીએ પણ કમેન્ટમાં સામે 'આઇ લવ યુ' કહ્યું હતું. 'હીરામંડી'માં જોવા મળી હતી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી 1 મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'હીરામંડી'માં જોવા મળી હતી. તેને ફરીદાનના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, ફરદીન ખાન, શેખર સુમન જેવા કલાકારો પણ આ શ્રેણીમાં જોવા મળ્યાં હતાં. કોણ છે શત્રુધ્ન સિન્હાનો ભાવિ જમાઈ?
ઝહીર ઈકબાલનો જન્મ 10 ડિસેમ્બર, 1988માં મુંબઈમાં થયો છે. તેનું પૂરું નામ ઝહીર ઈકબાલ રતનસી છે. ઝહીરે મુંબઈની સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં રણબીર કપૂર તેનો સિનિયર હતો. ઝહીરના પિતા ઈકબાલ રતનસી જ્વેલર અને બિઝનેસમેન છે અને સલમાન ખાનના સારા મિત્ર છે. આ જ કારણ છે કે બોલિવૂડમાં સ્થાન બનાવવા માટે ઝહીરને સલમાનનું પીઠબળ મળ્યું છે. ઝહીર જ્વેલર્સ પરિવારમાંથી આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.