આઈપીએસ દિનકર ગુપ્તા એનઆઈએના નવા ડીજી - At This Time

આઈપીએસ દિનકર ગુપ્તા એનઆઈએના નવા ડીજી


સિનિયર આઈપીએસ અધિકારી દિનકર ગુપ્તા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના નવા ડિરેક્ટર જનરલ બન્યા છે. ૧૯૮૭ના પંજાબ કેડરના આઈપીએસ અધિકારી દિનકર ગુપ્તા પંજાબ પોલીસના ડીજીપી રહી ચૂક્યા છે. કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ આઈપીએસ દિનકર ગુપ્તાની નિમણૂકને મંજૂરી આપી હતી. પર્સોનલ મંત્રાલયના એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી હતી. દિનકર ગુપ્તા એનઆઈએના ડીજી તરીકે તેમની નિવૃત્તિ સુધી એટલે કે ૩૧મી માર્ચ, ૨૦૨૪ સુધી કાર્યરત રહેશે.૧૯૮૭ની છત્તીસગઢ કેડરના આઈપીએસ સ્વાગત દાસની ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે નિયૂક્તિ થઈ હતી. તેઓ ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. સ્વાગત દાસને ૩૦મી નવેમ્બર, ૨૦૨૪ સુધી આ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.