શ્રી ગણપતિ મહોત્સવ નિમિતે ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી - At This Time

શ્રી ગણપતિ મહોત્સવ નિમિતે ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી


સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી ગણપતિ મહોત્સવ નિમિતે તા.08-09-2024 ને રવિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ફૂલોનો દિવ્ય શણગાર ધરાવવામાં હતો તથા શ્રીહરિ મંદિરમાં સવારે 09:૩0 કલાકે ગણપતિદાદાનું પૂજન- અર્ચન પવિત્ર બ્રાહ્મણો દ્વારા કરી કોઠારી વિવેકસાગરદાસજીસ્વામીના(અથાણાવાળા)દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવી હતી. ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.