વડાલી તાલુકાના કર્મનિષ્ઠ શિક્ષક અને પ્રાથમિક શાળાના આચાર્યનો વય નિવૃત્તિ ને લઈને વિદાય સમારંભ યોજાયો - At This Time

વડાલી તાલુકાના કર્મનિષ્ઠ શિક્ષક અને પ્રાથમિક શાળાના આચાર્યનો વય નિવૃત્તિ ને લઈને વિદાય સમારંભ યોજાયો


સાબરકાંઠા.. ........
વડાલી તાલુકાના કર્મનિષ્ઠ શિક્ષક અને પ્રાથમિક શાળાના આચાર્યનો વય નિવૃત્તિ ને લઈને વિદાય સમારંભ યોજાયો
વડાલી તાલુકાના નવા ચામુ ગામના વતની અને શાળા નંબર ચારના આચાર્ય તરીકે સેવા બજાવનાર કુશળ સંગઠક શિક્ષણ વિભાગની વિવિધ જગ્યાઓમાં સફળ નેતૃત્વ કરનાર શ્રી ગિરીશભાઈ અમૃતલાલ બ્રહ્મભટ્ટ નો ખૂબ જ ભવ્ય રીતે વિદાય અને સન્માન સમારંભ યોજાયો
આ સમારંભમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક હર્ષદભાઈ ચૌધરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ શ્રી પ્રકાશભાઈ પરમાર સાબરકાંઠા જિલ્લા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા ઇડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમિતાબેન ગઢવી પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી
આ સમારંભમાં વડાલી તાલુકા ના તમામ શિક્ષક મિત્રો વડાલી તાલુકા માંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વડાલી નગરપાલિકા વગેરે દ્વારા મોટી સંખ્યામાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમની શિક્ષણની કાર્યપ્રણાલીને લઈને તેમની શાળાના વિસ્તારમાં આવતા મોટાભાગના લોકો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી
હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.