પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદ મેળવતા ડો.વલ્લભભાઈ કથીરિયા - At This Time

પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદ મેળવતા ડો.વલ્લભભાઈ કથીરિયા


પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના આશીર્વાદ મેળવતા ડો.વલ્લભભાઈ કથીરિયા

રાજકોટ મુકામે રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયાના યજમાન પદે યોજાયેલ “ભાગવત કે રામ” ભાગવત જ્ઞાનયજ્ઞ પ્રખર વિદ્વાન અને ભાગવત કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને રેસકોર્ષ ગાઉન્ડમાં યોજાઇ ગયો. આ કથાનું સહ પરિવાર રસપાન કરવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો અને પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.આ પ્રસંગે રાજકોટમાં GCCI ના ઉપક્રમે યોજાયેલ “GAU TECH-2023” ગૌ આધારિત ઔદ્યોગીક સમીટની વિગતવાર માહિતી આપવાનો મોકો મળ્યો. “GAU TECH-2023” ડિરેક્ટરી અને સોવેનીયર બુક પૂજ્ય ભાઈશ્રીને અર્પણ કરી. “GAU TECH-2023”ની સફળતા બદલ અત્યંત પ્રસન્નતા અનુભવી અને અભિનંદન પાઠવ્યા. સાંસદ શ્રી રામભાઈ મોકરીયા અને પૂર્વ કૃષિ મંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ આ વાર્તાલાપમાં સાથે જોડાયા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.