તા.૨૧/૦૭/૨૦૨૪ને રવિવારના રોજ સમારકામની કામગીરીને લીધે બરવાળામાં પાવર સપ્લાય બંધ રહેશે - At This Time

તા.૨૧/૦૭/૨૦૨૪ને રવિવારના રોજ સમારકામની કામગીરીને લીધે બરવાળામાં પાવર સપ્લાય બંધ રહેશે


પી.જી.વી.સી.એલ. બરવાળા પેટાવિભાગીય કચેરી હેઠળ આવતા ગ્રાહકોને જણાવવાનું કે, તા. ૨૧/૦૭/૨૦૨૪ને રવિવારના રોજ ૧૧ કે.વી. બરવાળા અર્બન ફીડરમાં જરૂરી લાઈનનું સમારકામ કરવાનું હોવાથી સવારે ૭.૦૦ કલાકથી બપોરના ૪.૦૦ કલાક સુધી સમગ્ર બરવાળામાં પાવર સપ્લાઈ બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવામાં આવશે બરવાળા પેટા વિભાગીય કચેરીનો ઈમરજન્સી ફોલ્ટ સેન્ટર નંબર ૯૮૭૯૨ ૦૨૦૧૬ છે તેમ નાયબ ઇજનેરશ્રી, પેટા વિભાગીય કચેરી, બરવાળા દ્વારા જણાવવામાં આવે છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.