બોટાદમાં એન.એસ.એસ ના તાલીમાર્થીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી - At This Time

બોટાદમાં એન.એસ.એસ ના તાલીમાર્થીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી


( હર્ષદ ચૌહાણ દ્વારા)
શ્રી આદર્શ બી.એડ કોલેજ બોટાદના એન.એસ.એસ ના તાલીમાર્થીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું જતન કરવું તેની માવજ કરવી તેનો ઉછેર કરવો એ આપની નૈતિક ફરજ છે. આ નૈતિક ફરજના ભાગરૂપે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગરના પત્ર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર ની સૂચના મુજબ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા કોલેજ કેમ્પસની આજુબાજુમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.