મહીસાગર જિલ્લામાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લુણાવાડાના વિવિધ વિસ્તારમાં દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો - At This Time

મહીસાગર જિલ્લામાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લુણાવાડાના વિવિધ વિસ્તારમાં દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આહ્વાન થકી સમગ્ર રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સ્વચ્છતા હિ સેવા અભિયાનનો પ્રારંભ થયો હતો જેને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવતા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમને ૩૧ ઓક્ટોબર સુધી લંબાવી છે.

જે અંતર્ગત મહિસાગરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત લુણાવાડા નગરપાલિકા દ્વારા લુણાવાડાના વિવિધ વિસ્તારોમાં જ્યાં દુકાન સામે કચરો પડેલો હોય તેવા દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે લુણાવાડા નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે જ્યાં ત્યાં કચરો ફેકવો નહીં. આપણા શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી બધાની છે.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.