જસદણ તાલુકાના કનેસરા ગામે કેરોસીન પી જતાં યુવાનનું મોત - At This Time

જસદણ તાલુકાના કનેસરા ગામે કેરોસીન પી જતાં યુવાનનું મોત


જસદણ તાલુકાના કનેસરા ગામમાં કેરોસીન પી જનાર 35 વર્ષીય વિપુલ સરવૈયાએ સારવારમાં દમ તોડ્યો હતો. યુવકે પોતાની વાડીમાં પગલું ભર્યું હતું. પછી તે 4 દિવસથી સારવારમાં હતો. પરિવારનું કહેવું છે કે, માનસિક અસ્વસ્થતાના કારણે આપઘાત કર્યો છે. મૃતક ખેતીકામ કરતો હતો. બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. આ બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, વિપુલ ગોરધનભાઈ સરવૈયા (ઉં.વ.35, રહે. કનેસરા, તા.જસદણ) ગત તા.31/5ના રોજ પોતાની વાડીએ હતો ત્યારે, તેણે કેરોસીન પી લીધું હતું. પરિવારજનોને જાણ થતાં તુરંત તેને જસદણની વાવડીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબિયત વધુ ખરાબ જણાતા રાજકોટની પ્રગતિ હોસ્પિટલમાં રીફર કરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.