શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિય 125 કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ ધરાવાયો - At This Time

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિય 125 કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ ધરાવાયો


વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી તારીખ 01-06-2024ને શનિવારના રોજ સવારે 5:30 વાગ્યે મંગળા આરતી તથા સવારે 7.00 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 125 કિલો સુખડીના પ્રસાદનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે આ સાથે જ દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેનો હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.