શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબ- સેવંતીના ફુલોનો શણગાર એવં 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો - At This Time

શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબ- સેવંતીના ફુલોનો શણગાર એવં 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.30-11-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ- સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી પછી શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. દાદાને 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે વડોદરાથી આ ફુલ મંગાવ્યા છે સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image