મંગળવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 200 કિલો ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો - At This Time

મંગળવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 200 કિલો ફુલોનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો


વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.15-10-2024ને મંગળવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને ફુલોનો શણગાર કરવામાં આવ્યો હતો સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 07:00 શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. તેમજ મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતુ આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે મંગળવારના પવિત્ર દિવશે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 15 દિવસની મહેનતે બનેલા પ્યોર સિલ્કના જરદોશીવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે દાદાના સિંહાસને પંચરંગી ગુલાબ અને એન્થોરિયમના 200 કિલો ફુલનો શણગાર કરાયો છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.