રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન.


રાજકોટ શહેર તા.૭/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તા.૭/૧૦/ર૦ર૪ ના રોજ વોર્ડનં.૮ તથા વોર્ડનં.૧માં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. (૧) ભૂપતસિંહ વાઘેલા સૂર્યોદય સોસાયટી, શેરીનં.૨, કાલાવડ રોડ ગેરકાયદેસર બાંધકામ મિલ્કત સીલ કરેલ છે. લતાવાસીયો શાંતિનિકેતન સોસાયટીથી અમૃતપાર્કને જોડતો માર્ગ રસ્તા પર બનાવેલ દીવાલ સદરહુ દીવાલને દુર કરેલ છે. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી.ટાઉન પ્લાનર એમ.આર.શ્રીવાસ્તવ, એસ.જે.સીતાપરા તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.