ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત બોટાદ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોગ શિબિર યોજાઈ - At This Time

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત બોટાદ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોગ શિબિર યોજાઈ


(અસરફ જાંગડ દ્વારા)
યોગ ભગાવે રોગ ઉક્તિને સાર્થક કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ હૃદય દિવના ઉપક્રમે હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે આયોજિત આ શિબિરમાં પોલીસ જવાનોએ યોગ કર્યા હતા. તેમજ હૃદયરોગ નિવારણ તથા આ રોગ અંગે જાગૃતિ લાવવા શિબિરમાં કૃતિ રજૂ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર પ્રવીણભાઈ કળથીયા અને સાહિલભાઈ રાજપારીએ ઉપસ્થિતોને યોગનું મહત્વ સમજાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.