પોરબંદર જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ સ્વચ્છતા,કેનાલ, પાણી,અનાજ વિતરણ, આરોગ્ય સહિતના કામો વિશે તલસ્પર્શી માહિતી મેળવી બાકી કામો તાકીદે પૂર્ણ કરવા સબંધિક અધિકારીઓને તાકીદ કરી. - At This Time

પોરબંદર જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ સ્વચ્છતા,કેનાલ, પાણી,અનાજ વિતરણ, આરોગ્ય સહિતના કામો વિશે તલસ્પર્શી માહિતી મેળવી બાકી કામો તાકીદે પૂર્ણ કરવા સબંધિક અધિકારીઓને તાકીદ કરી.


પોરબંદર જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ સ્વચ્છતા,કેનાલ, પાણી,અનાજ વિતરણ, આરોગ્ય સહિતના કામો વિશે તલસ્પર્શી માહિતી મેળવી બાકી કામો તાકીદે પૂર્ણ કરવા સબંધિક અધિકારીઓને તાકીદ કરી.
પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લાગતી બાબતોના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં પોરબંદર વીલા સર્કીટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે જિલ્લાના પ્રશ્નો અને બાકી કામો પુર્ણ કરવા અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઇ પરમાર, જિલ્લા કલેકટરશ્રી કે.ડી.લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કેતન ઠક્કર, એસ. પી. શ્રી ભગીરથસિંહ જાડેજા, અધિક કલેકટર શ્રી રાજેન્દ્રસિંહ રાયજાદા, શ્રી રેખાબા સરવૈયા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ પાણી,કેનાલના કામો,સિંચાઈ, અન્ન પુરવઠો, કૃષિ, વીજ પુરવઠો, આરોગ્ય તથા કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણ લક્ષી યોજનાઓના લાભ આપવા માટેની તમામ યોજનાની સમીક્ષા કરી ક્યાં કામો ક્યાં તબક્કે છે તેની સમીક્ષા કરી હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી પણ રજૂ કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ પી.એમ. જે .વાય.આયુષ્માન કાર્ડ અને વીમા યોજના, આરોગ્ય કેન્દ્રના કામો, તેમજ રાજ્ય અને કેન્દ્રની ફ્લેગ શિપયોજનાનો પાત્રતા ધરાવતા લાભાર્થીને લાભ મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રી શ્રી એ જિલ્લા કક્ષાએ માળખાગત કામો અને નાગરિક સેવાઓ અંગે અંગે તલસ્પર્શી માહિતી મેળવી દરેક વિભાગને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીશ્રીએ જિલ્લાના આયોજન હેઠળના કામો પૂર્ણ કરવા સમીક્ષા કરી હતી.
અમિપુર ડેમના દરવાજા ની કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી હતી.આ ઊપરાંત હાલ ચોમાસામાં કચેરીની ઉપલબ્ધ જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ જિલ્લાના કોસ્ટલ એરિયામાં પાણી સંગ્રહ માટે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાત મંદ પરિવારો મકાન બનાવી શકે અને યોજનાઓનો લાભ મળે તે માટે ગામતળ સહિતના મુદ્દે જરૂરી સૂચનો- માર્ગદર્શન આપ્યું હતું.
મિટિંગના પ્રારંભે કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ, વિવિધ કચેરીઓના અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.