રાજકોટમાં બનેલી ઘટના બાદ ઠેર-ઠેર ચકાસણી અને તપાસણી શરૂ છે ત્યારે ઉપલેટામાં શું ખરેખર સબ સલામત છે ખરૂ ? - At This Time

રાજકોટમાં બનેલી ઘટના બાદ ઠેર-ઠેર ચકાસણી અને તપાસણી શરૂ છે ત્યારે ઉપલેટામાં શું ખરેખર સબ સલામત છે ખરૂ ?


ગંભીર ઘટના બાદ ઉપલેટાનું તંત્ર સુરક્ષા અને નિયમોની યોગ્ય ચકાસણી માટે ક્યારે નીંદર માંથી જાગશે ?

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૦ જુન ૨૦૨૪, રાજકોટમાં ગેમ ઝોનની અંદર આગ લાગવાની ઘટના બનતા અનેક લોકોના જીવ હોમાઈ ચૂક્યા છે ત્યારે આ ઘટના બાદ તંત્ર અને સરકાર દ્વારા વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે જેમાં જાહેર જગ્યાઓ ઉપર આવતા બિલ્ડીંગો તેમજ જાહેર જગ્યાઓ પર સુરક્ષા તેમજ નિયમો અને કાયદા મુજબની ઈમારતોમાં યોગ્ય અને નિયમ મુજબ સુવિધાઓ અને કામગીરી ન હોય તેના પર તવાઈ શરૂ થઈ છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોઈપણ પ્રકારની ચકાસણી તપાસણી કે સીલ મારવાની કામગીરી નહીં દેખાતા ઉપલેટાના બેદરકાર અને જવાબદાર તંત્ર ઉપર ફરી આળસના આક્ષેપ લાગી રહ્યા હોવાનું સામે આવ્યું છે કારણ કે તંત્રની આળસને કારણે અગાઉ ગંભીર દુર્ઘટનાઓ બની ગઈ છે અને ઘટનાઓના કારણે તંત્ર ઉપર ફિટકારોની વરસાદ પણ વરસી ચુકી છે ત્યારે ઉપલેટાના આ જ આળસુ તંત્ર પુનઃ ફરી આળસુ બની ગયું હોય તેવું જાહેરમાં આક્ષેપ લાગી રહ્યું છે કારણ કે તંત્રના મતે તો જાણે ઉપલેટામાં સબ સલામત હોય તેમ કોઈપણ ચકાસણી કે તપાસણી કરવામાં નહીં તંત્ર પણ અંદરખાને સેટલમેન્ટ કરી ઢાંક પીછોડા કરવા માટે પ્લાન બનાવતી હોય અને કોઈ કાર્યવાહી નહીં કરતા ઉપલેટાનું તંત્ર પુનઃ અગાઉની જેમ આળસુ હોય તેવી પુનઃ ચર્ચા શરૂ થઈ છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકા વિસ્તારની અંદર અનેક શાળા, કોલેજ, હોસ્પિટલ, લેબોરેટરી, કોમ્પ્લેક્સ, શોપિંગ મોલ, હોટલ, રેસ્ટોરન્ટ, સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ સહિત અનેક ઇમારતો અને સંસ્થાઓ સહિતની ઇમારતો ઊભી છે ત્યારે આ ઇમારતો, સંસ્થાઓ અને જાહેર કચેરીઓમાં પૂરતી સુરક્ષા અને નિયમ મુજબની કામગીરી થાય છે કે નહીં તેને લઈને સરકાર અને તંત્ર દ્વારા ચકાસણીને તપાસણી કરવામાં આવી રહી છે જેમાં એક બાદ એક નિયમનું પાલન ન કરનાર કચેરી કે કોઈપણ બિલ્ડીંગ ઉપર સીલ અને તવાઈની કામગીરી શરૂ છે ત્યારે ઉપલેટામાં તંત્રના આળસથી જાણે સબ સલામત હોય તેમ સમજીને તંત્ર કોઈ કામગીરી નથી કરતું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઉપલેટામાં સરકારી કચેરીઓ, ખાનગી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ જાહેર, પબ્લિક અવન જવન થતું હોય ત્યાં સુરક્ષાને લઈને ખાસ કરીને સ્કૂલ, કોલેજ અને જાહેર સંસ્થાઓ જેમ કે બેંક સહિત જે જગ્યાઓ પર લોકોની વધુ ભીડ હોય છે ત્યાં સુરક્ષા અને નિયમો મુજબની તમામ કામગીરીઓ અને સુરક્ષાની કામગીરી છે કે નહીં તે તપાસ કરવા માટેની ઉપલેટાનું તમામ તંત્ર કોઈ તસ્દી નથી લેતું જેના કારણે ઉપલેટાના તંત્રમાં આળસ ખૂબ ઘર કરી ગઈ હોય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે કારણ કે અગાઉ તંત્રની આળસના કારણે એક બહુ મોટી જાનહાની ટળી ગઈ હોવાની સ્યાહી હજી સુકાઈ નથી ત્યારે ઉપલેટા તંત્ર કોઈના મોતની અથવા ગંભીર દુર્ઘટનાની રાહ જોઈ અને પોતે બેદરકાર સાબિત થવા માંગતું હોય તેવી કામગીરી કરવા ઇચ્છતી હોય તેવી પણ ઉપલેટાની જાહેર જનતા ચર્ચા કરી રહી છે. આ બાબતમાં જાગૃત નાગરિકોના જણાવ્યા પ્રમાણે જુઓ ઉપલેટાનું તંત્ર સુરક્ષા નિયમો સૂચનો અને હુકમ મુજબનું આગામી દિવસોમાં કામ નહીં કરે તો તંત્રના જવાબદાર અધિકારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ જવું પડશે તો જ તેમની આળસ અને અણઆવડત ચોક્કસપણે ભાંગશે તેવું જણાવ્યું છે ત્યારે તંત્ર કામગીરી નહીં કરે તો ઉચ્ચ કચેરી ખાતે કાયદેસરની પુરાવા સાથેની ફરિયાદો કરવામાં આવશે તેવી પણ મીડિયા સમક્ષ સૂત્ર પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મીડિયાના અહેવાલ બાદ તંત્ર જાગે છે કે કેમ તે તો આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે પરંતુ જો તંત્ર નહીં જાગે તો મીડિયા અને જાગૃત નાગરિકો અને આગેવાનો તંત્રની ભાગદોડમાં ચોક્કસપણે ટૂંક સમયમાં વધારો કરશે તે નક્કી છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.