રામ નવમી નિમિત્તે શ્રી ઠાકોરજીનું દિવ્ય ષોડશોપચાર પૂજન - At This Time

રામ નવમી નિમિત્તે શ્રી ઠાકોરજીનું દિવ્ય ષોડશોપચાર પૂજન


વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રામ નવમી નિમિત્તે શ્રીહરિ મંદિરમાં સાંજે 05:30 કલાકે શ્રી ઠાકોરજીનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતું ફૂલોનો શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્યા હતા, પુષ્પવર્ષા કરવામાં આવેલ, સાંજે 6:45 કલાકે ઠાકોરજીની સંધ્યા આરતી શ્રી હૃદયપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી, હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.