અમીન માર્ગ પરથી નેપાળી તરૂણી ભેદી રીતે ગુમ - At This Time

અમીન માર્ગ પરથી નેપાળી તરૂણી ભેદી રીતે ગુમ


અમીન માર્ગ પરથી નેપાળી તરૂણી ભેદી રીતે ગુમ થતાં માલવીયાનગર પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે અમીન માર્ગ પર રહેતાં મૂળ નેપાળના વતની મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ અને તેમના પતિ પાલીતાણામાં સિક્યુરિટીની નોકરી કરે છે. તેણીને સંતાનમાં બે પુત્રી છે.
જેમાથી મોટી 19 વર્ષની પુત્રી નેપાળમાં રહે છે અને 16 વર્ષની નાની પુત્રી તેઓની સાથે રહે છે. ગઇ તા. 12/04/2024 ના સવારના સમયે બાજુમાં આવેલ ફલેટમાં ઘરકામ કરવા ગયેલ હતાં. ત્યારે તેમની પુત્રી એકલી ઘરે હતી.
બાદમાં તેઓ ઘરે આવેલ અને જોયુ તો તેની પુત્રી ઘરે જોવા મળેલ ન હતી અને તેનો ફોન પણ સ્વીચઓફ આવતો હોય જેથી શેઠાણીને આ બાબતે વાત કરેલ હતી અને પુત્રીની સાંજ સુધી તપાસ કરવા છતા મળી આવેલ ન હતી.દરમિયાન તેણીના પતિ પણ આવી ગયેલ અને તેઓએ પણ તપાસ કરતા પુત્રીની ભાળ મળી ન હતી. જેથી તેઓની સગીર પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી નાસી છૂટ્યાની ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે માલવીયાનગર પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.