જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા માનસિક દિવ્યાંગ વ્યક્તિઓને ભોજન આપવામાં આવ્યું - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા માનસિક દિવ્યાંગ વ્યક્તિઓને ભોજન આપવામાં આવ્યું


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા માનસિક દિવ્યાંગ વ્યક્તિઓને ભોજન આપવામાં આવ્યું......
હિંમતનગરમાં આવેલા જલારામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમમાં રહેતી વ્યક્તિઓને ભોજન આપવામાં આવ્યું. સૌપ્રથમ સહિયર બહેનો દ્વારા સમૂહ પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ દાતા તરીકે મીનાબેન સાધુ અને ગીતાબેન ભટ્ટ તથા અન્ય બહેનો દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને રાત્રિ ભોજન આપવામાં આવ્યું. જેમાં મોહનથાળ, સેવ, શાક, રોટલી દાળ ભાત, પાપડ, કચુંબર પીરસવામાં આવ્યું. જાયન્ટ્સ સહિયરના પ્રમુખ સોનલબેન મહેતાનો જન્મદિવસ હોવાથી તેમણે દાબેલીનો નાસ્તો પણ આપ્યો અને બધાએ સાથે મળી જન્મદિવસની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં સોનલબેન, રાજેશ્રીબેન તથા અન્ય બહેનો મોટી સંખ્યામાં હાજર રહી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.