હળવદના શિવપુર થી માટેલ રોડ નું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ - At This Time

હળવદના શિવપુર થી માટેલ રોડ નું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ


રોડ નવો બને તે પહેલા ખાડા પૂરવામાં આવે તેવી લોક માંગ

હળવદ તાલુકાનો વિકાસ તો થઈ રહ્યો છે પણ હજુ ઘણા બધા એવા રસ્તા છે કે જે નવીનીકરણ માગી રહ્યા છે. કડીયાણા થી વાંકાનેર ને જોડતો રોડ હમણાં થોડા સમય પહેલા જ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા એ જણાવ્યું હતું કે નવો બનશે પરંતુ હાલ પૂરતા આ રોડના ખાડા બુરવામાં આવે તેવી લોકમાં ઉઠી છે, અસંખ્ય શ્રદ્ધાળુઓ માટેલ માતાજીના દર્શન કરવા જતા હોય છે અને યુવાનો રોજગારી માટે સીરામીકમાં બાઇક લઈને અપડાઉન કરે છે જે માટે રોડનું કામ ચાલુ થાય તે પહેલા આ ખાડા પૂરવામાં આવે તેવી રહીશોની લોક માંગ ઉઠી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.