શાંતિનિકેતન મનફરા ખાતે વાગડ વેલ્ફેર હોસ્પિટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

શાંતિનિકેતન મનફરા ખાતે વાગડ વેલ્ફેર હોસ્પિટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું


આજ રોજ સવારે 9 થી 2 વાગ્યા સુધી શાંતિનિકેતન મનફરા ખાતે વાગડ વેલ્ફેર હોસ્પિટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ડૉ. નિખિલેસ પટેલ સાહેબ, ડૉ. પાર્થ ભટ્ટ સાહેબ, ડૉ. ભરત રાઠોડ સાહેબ, ડૉ.જયશ્રીબેન રાઠોડ,ડૉ.દામજીભાઇ પટેલ સાહેબ, ડૉ. કનકસિંહ મોરી સાહેબ, ડૉ. પી. સી. ચાવડા દ્વારા સેવા આપવા મા આવી.આ કેમ્પ મા બ્લડ પ્રેસર, ડાયાબિટીસ તથા બીજી તપાસ દરેક દર્દી ફ્રી મા કરી અને 5 દિવસ ની દવા પણ ફ્રી આપવામાં આવી. જે દર્દીઓ કાયમી દવા લેતા હોય તેવા દર્દીઓ નું રજીસ્ટ્રેશન કરીને તેમને તે દવાઓ રાહત દર ચિકિસ્તા મંદિર દ્વારા આપવામાં આવશે. આ કેમ્પ 160 થી વધુ દર્દીઓ લાભ લીધો. આ કેમ્પ મા મનફરા ના આરોગ્ય સુપર વાઇઝર સૂર્યકાન્તભાઈ અને તેમની ટીમ દ્વારા ખુબ સાથ સહકાર આપવામાં આવીયો. શાંતિનિકેતન સંસ્થા ના ટ્રસ્ટી ઓ નો ખુબ સાથ સહકાર આપવા બદલ આભાર. આ કેમ્પ સંપૂર્ણ સંચાલન ચિકિસ્તા મંદિર અને વાગડ વેલફેર હોસ્પિટલ ના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યુ.

અહેવાલ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.