શિહોર ના રાજપરા ખોડીયાર પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે ના મોત - At This Time

શિહોર ના રાજપરા ખોડીયાર પાસે ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે ના મોત


પ્રાપ્ત વિગતો અનુસાર સિહોર નજીક આવેલ સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિર જવાના રસ્તે ભાવનગર રાજકોટ રોડ પર વળાંક માં ડમ્પર અડફેટે બાઇક સવાર ના મોત
પપ્પુભાઈ કુરેશી તેમજ હાસમભાઈ કુરેશી નામના બે આધેડ બાઇક નંબર GJ04 CM 9192 લઈ પસાર થતા હોય ત્યારે માતેલા સાંઢ ની જેમ હાઇવે પરથી ખોડિયાર મંદિર બાજુ જાળીયા બાજુ જતું ડમ્પર દ્વારા અચાનક વળાંક લેતા બાઇક સવાર પપ્પુભાઈ તથા હાસમભાઈ રે.કાછીયાવાડ ભાવનગર સાથે ટકરાવી મોત નિપજાવી વાહન લઈ ડમ્પર ચાલક નાસી ગયો હતો
ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ૧૦૮ ને કરતા સ્થળ પર પહોંચી બન્ને ને મૃત જાહેર કર્યા હતા ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી બન્ને ની લાશ ને સિહોર સી.એચ સી મોકલી આપવામાં આવી હતી . રિપોર્ટ અશોકભાઈઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.