વ્યાજખોરના ત્રાસથી કંટાળી સોની વેપારીનો રેસકોર્ષમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ - At This Time

વ્યાજખોરના ત્રાસથી કંટાળી સોની વેપારીનો રેસકોર્ષમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ


રેસકોર્ષમાં બાલભવન પાસે સોની વેપારીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. સોની વેપારીએ વ્યાજખોરો ઘરે આવી પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હોવાથી પગલું ભરી લીધાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલા રોયલ પાર્કમાં રહેતા અને કાલાવડ ગામમાં સોનીની દુકાન ધરાવતા હિતેશભાઈ છોટાલાલ કડેચા (ઉ.વ.52)નામના આધેડે સાંજે સાડા સાતેક વાગ્યાના અરસામાં રેસકોર્ષ બાલભવન પાસે ફિનાઈલ પી લેતાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. હિતેશભાઈને સંતાનમાં ત્રણ દિકરી છે. પુત્રીના કહેવા મુજબ પિતાએ ધંધા માટે જુદા-જુદા વ્યકિતઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતાં કેટલાક દિવસથી અજાણ્યા માણસો ઘરે આવી પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હોવાથી કંટાળી પિતાએ પગલું ભર્યું હતું. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.