રાજકોટ યાર્ડમાં માવઠાંની આગાહીને પગલે ટોકન પદ્ધતિથી હરરાજી, દૈનિક 100 ટોકન અપાશે - At This Time

રાજકોટ યાર્ડમાં માવઠાંની આગાહીને પગલે ટોકન પદ્ધતિથી હરરાજી, દૈનિક 100 ટોકન અપાશે


હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી વ્યક્ત કરી છે. જેના કારણે યાર્ડમાં ખુલ્લામાં પડેલી ખેડૂતોની ઉપજ ખતરામાં છે. જેથી રાજકોટ યાર્ડમાં માવઠાંની આગાહીને પગલે સત્તાધીશોએ આજથી ટોકન પદ્ધતિથી જણસીની હરરાજી કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે દૈનિક 100 ખેડૂતોને ટોકન આપવામાં આવશે.જેમાં ઘઉં,ચણા અને ઘાણાના પાકની ટોકન મુજબ હરરાજી થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.