બોટાદ ની મનમંદિર સ્કૂલ C.A દ્વાર શિક્ષણ સેમિનાર યોજાયો - At This Time

બોટાદ ની મનમંદિર સ્કૂલ C.A દ્વાર શિક્ષણ સેમિનાર યોજાયો


બોટાદ ના ભાવનગર રોડ પાટીવાળા ની વાડી ખાતે આવેલ મનમંદિર સ્કૂલ ખાતે આજે કોમર્સ વિભાગમાં બોટાદ અને અમદાવાદમાં શ્રેષ્ઠ પ્રેક્ટીસ કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિરેનભાઈ પટેલ દ્વારા સેમિનાર કરવામાં આવ્યો હતો જેમાં કોમર્સ ના બાળકો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય કેમ બનાવે અને કોમર્સ દ્વારા જીવનમાં આગળ કેમ આવી શકાય તેની સમજણ સાથે સાથ C.A કઈ રીતે બની શકાય તેનું કાર્યક્ષેત્ર કેવું હોય, કેવી રીતે પરીક્ષા પાસ કરી શકાય, વાંચન કેટલું કેવું કરવું, પરીક્ષાની પધ્ધતિ વગેરે જેવી બાબતોનું ઊંડાણ પૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે બાળકોના મનમાં રહેલા પ્રશ્નો નું નિરાકરણ પણ ભાવવાહી રીતે આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના કોમર્સ વિભાગના શિક્ષકો અને પ્રિન્સિપાલ તથા શાળા ટ્રસ્ટી હાજર રહ્યા હતા અને હિરેનભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો બાળકો એ પણ ખૂબજ ઉત્સાહ દાખવ્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.