ગઢડા તાલુકાના તલાટી કમ મંત્રી દ્વારા મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, - At This Time

ગઢડા તાલુકાના તલાટી કમ મંત્રી દ્વારા મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી,


બોટાદના ગઢડા સ્વામીના ખાતે ગઢડા તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મોરબી દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.! આ કાર્યક્રમમાં ગઢડા ઉમરાળા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપા પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, તલાટી કમ મંત્રી બોટાદ જિલ્લા અધ્યક્ષ પ્રદ્યુમનસિંહ ટાંક, ગઢડા તલાટી કમ મંત્રી પ્રમુખ હરેશભાઈ બોરીચા તથા તમામ તલાટી કમ મંત્રી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.! આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી, કેન્ડલ લાઈટ સાથે બે મિનિટ મૌન પાળી પ્રભુ તમામ મૃતકોના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.