સોમનાથ મહાદેવના વર્ષ 2022 દરમિયાન 10 મહિનામાં અંદાજે 49 લાખ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી - At This Time

સોમનાથ મહાદેવના વર્ષ 2022 દરમિયાન 10 મહિનામાં અંદાજે 49 લાખ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી


સોમનાથ મહાદેવના વર્ષ 2022 દરમિયાન 10 મહિનામાં અંદાજે 49 લાખ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી

ગત માસમાં દિવાળીના તહેવારોમાં 2 લાખ અને અન્ય દિવસોમાં અંદાજે 4 લાખ જેટલા ભક્તોએ દાદાના દર્શન કર્યા

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના વર્ષ 2022 દરમિયાન જાન્યુઆરીથી ઓકટોબર સુધી 10 માસમાં અંદાજે 49 લાખ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ઉપરાંત ગત ઓકટોબર માસ દરમિયાન 5 લાખ 79 હજાર 493 લોકોએ મહાદેવના દર્શન કર્યા હતા.જેમાં માત્ર દિવાળીના તહેવારોમાં જ 2 લાખ જેટલા લોકો ઉમટી પડ્યા હતા.ગત વર્ષે ઓકટોબર માસમાં 4 લાખ 34 હજાર 280 લોકો મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા.જેની સરખામણીએ આ વર્ષે લગભગ 33 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો.વર્ષ 2022ની વાત કરીએ તો જાન્યુઆરીથી ઓકટોબરના દસ માસ દરમિયાન 48,81,445 શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શન કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.