જૂનાગઢ ના જાંબાઝ ડી વાય એસ પી પી જી જાડેજા ની અમદાવાદ ખાતે બદલી - At This Time

જૂનાગઢ ના જાંબાઝ ડી વાય એસ પી પી જી જાડેજા ની અમદાવાદ ખાતે બદલી


જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ની અમદાવાદ બદલી કરવામાં આવી છે આ અંગે મળતી વિગત મુજબ ગુજરાત સરકારના ગૃહ વિભાગે 17 સપ્ટેમ્બરે રાજ્યના ૮૨ ડીવાયએસપી બિન હથિયારધારીની બદલી કરી છે આમાં જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા નો પણ સમાવેશ થાય છે તેમની અમદાવાદ ખાતેના જે ડિવિઝનમાં મદદનીશ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે દરમિયાન જૂનાગઢના ડીવાયએસપી તરીકેની ફરજ બજાવતા પ્રદીપસિંહ જાડેજા એ અનેક લોકોના પ્રશ્નોને ઉકેલ્યા હતા સામાજિક પારિવારિક સમસ્યા હોય કે માથાભારે નો ત્રાસ હોય સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ જેની કોઈ ઓળખાણ પણ ન હોય તેવા લોકો તેમની ઓફિસમાં જઈ રજૂઆત કરતા અને તે સમસ્યા તેઓ ચપટીમાં ઉકેલી દેતા આમ તેમની ઓન ધ સ્પોટ કામગીરી કરવાની રીત ના કારણે અનેક લોકો તેની તીસરી અદાલતની ઉપમા આપતા હતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જુનાગઢ ડિવિઝનમાં સાડા ત્રણ વર્ષથી વધુ સમયગાળો નોકરી કરી છે અનેક સેવાકીય પ્રવૃતિઓ પણ કરી છે અને તેઓને કોરોના કાળમાં ગરીબ લોકોની ખૂબ જ મદદ કરી છે જેથી જુનાગઢના લોકોને એક સારા અધિકારી ગુમાવ્યા નો અફસોસ જોવા મળી રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.