મોટા ખુંટવડા ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત કાર્યક્રમ યોજાયો - At This Time

મોટા ખુંટવડા ખાતે ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત કાર્યક્રમ યોજાયો


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્યનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિજળીલક્ષી કામો અને મહત્વપુર્ણ કરેલ કામોની ફિલ્મ તેમજ નાટક લોકો સમક્ષ દેખાડામમાં આવ્યા હતા આ તકે ઉપસ્થિત મુખ્ય અતિથિ,કેશુભાઈ નાકરાણી ધારાસભ્ય ગારીયાધાર,ટીડીઓ વસાવા સાહેબ મહુવા,અંજુબેન મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ મહુવા,Pgvcl વર્તુળ કચેરી ભાવનગર વસાવા સાહેબ અધિક્ષક ઈજનેર,દામોર સાહેબ કાર્યપાલક ઈજનેર મહુવા,નાયબ ઈજનેર વસાણી સાહેબ,નાયબ ઈજનેર ભીંગરાડીયા સાહેબ,વાઘેલા સાહેબ રૂરલ 1 મહુવા,વહીવટી વિભાગ રાઠવા સાહેબ,રૂરલ ગ્રામ્ય 2 પટેલ સાહેબ મહુવા,નાયબ ઈજનેર જેસર વિસાત સાહેબ,શ્રી તન્ના સાહેબ ભાવનગર નાયબ નિયામકશ્રી,
ઘનશ્યામભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન મહુવા,પંડયા સાહેબ ભાવનગર નાયબ ઈજનેર, જીલ્લા પંચાયત સદસ્ય દશરથભાઈ જાની, સમગ્ર જિલ્લામાંથી પધારેલ વિદ્યુત બોર્ડનો તમામ સ્ટાફ,ગામના આગેવાનો તેમજ મોટા ખુંટવડા આસપાસ ગામના તમામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.