સાયલા મા નવનિર્મિત નવજીવન હોસ્પિટલ નું ભવ્ય લોકાર્પણ કરાયું. - At This Time

સાયલા મા નવનિર્મિત નવજીવન હોસ્પિટલ નું ભવ્ય લોકાર્પણ કરાયું.


સાયલા તથા ગામડાઓના લોકો માટે કોઈપણ બીમારીની સારવાર વ્યાજબી ભાવે મળી રહે તેવી અદ્યતન સાધન સામગ્રી થી સુસજ્જ નવજીવન હોસ્પિટલ નું લોકાર્પણ કરવામાં આવ્યું. વિજયભાઈ શેખ ના નેતૃત્વ માં ડૉ, ચિરાગભાઈ કાનાણી તથા ડૉ, જયરાજસિંહ ગોહીલ દ્વારા લોકોને તમામ સુવિધા પુરી પાડવામાં આવશે.
નવનિર્મિત નવજીવન હોસ્પિટલ નું કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના તથા સાયલા લાલજી મહારાજ જગ્યાના મહંતશ્રી, કોઠારીયાના મહંતશ્રી હસ્તે લોકાર્પણ કરાયું હતું.
આ તકે , સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, અલ્પેશભાઈ શેખ, સુરીગભાઈ ધાધલ, ભાવેશભાઈ મકવાણા, તનકસિંહ રાણા, શંકરભાઈ વેગડ, તેમજ અન્ય રાજકીય અગ્રણીઓ, સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં તાલુકાના ગામડાઓમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.