સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં એક દિવસીય તાલીમ યોજાઇ - At This Time

સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં એક દિવસીય તાલીમ યોજાઇ


(આબીદઅલી ભુરા સાબરકાંઠા )
સાબરકાંઠા જિલ્લામાં નિર્મળ ગુજરાત ૨.૦ અને સ્વચ્છ ભારત મિશન ૨.૦ ની કામગીરીના અસરકારક અમલીકારણ માટે કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લા કલેક્ટર નૈમેષ દવેની અધ્યક્ષતામાં એક દિવસીય તાલીમ યોજાઇ હતી.
કલેક્ટરશ્રી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ની પ્રેરણાથી ભારત સરકાર ધ્વારા સને ૨૦૧૪ માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર ભારત દેશમાં સ્વછતા ને પ્રોત્સાહન આપવા માટે નિમિત બનેલ જેની સફળતાના આધારે ભારત સરકારે ૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને કચરામુકત શહેરો બનાવવા સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ લોન્ચ કરવામાં આવ્યો છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 એ ભારત સરકારની મહત્વકાંક્ષી પહેલ છે, જેનો હેતુ દેશના શહેરી વિસ્તારોને કચરામુક્ત બનાવવાનો છે.
સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત, મુખ્ય ધ્યાન શહેરોને કચરામુક્ત બનાવવા પર છે, જેમાં દરરોજ ઉત્પન્ન થતો 100% કચરો પ્રોસેસ કરવામાં આવશે. આ મિશન હેઠળ, કચરાના સ્ત્રોત પર જ વર્ગીકરણ, 3R (Reduce, Reuse, Recycle) સિદ્ધાંતોનો ઉપયોગ, વૈજ્ઞાનિક રીતે કચરાનો પ્રોસેસિંગ, અને જુના કચરાના ડમ્પસાઇટ્સનું નિર્મૂલન કરવામાં આવશે. ભારતની તમામ નગરપાલિકાઓને 100% ઘરો સુધી કચરો સંગ્રહ સુનિશ્ચિત કરવું, તેમજ સૌજન્ય શૌચાલય અને જાહેર શૌચાલય બનાવવાની યોજના છે.
સ્વચ્છ ભારત મિશન 2.0 ની સફળતાને હાંસલ કરવા માટે નાગરિકોની સક્રિય ભાગીદારી અને સરકારની પ્રતિબદ્ધતા આવશ્યક છે, જે ભારતને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવામાં સહાયરૂપ થશે.
આ બેઠકમાં પ્રાદેશિક કચેરી ગાંધીનગરના અધિક કલેક્ટર શ્રી ભાલોડિયા, અધિક નિવાસી કલેક્ટર સુશ્રી કિષ્ના વાધેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, તમામ પ્રાંતશ્રીઓ, તમામ નગરપાલીકા ચીફ ઓફિસરશ્રીઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.