સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ સહિતના મહાનુભાવોએ કર્યા દર્શન - At This Time

સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ સહિતના મહાનુભાવોએ કર્યા દર્શન


વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરતાં મહાનુભાવો

બોટાદ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ તથા મહાનુભાવોએ બરવાળા ખાતે સુપ્રસિદ્ધ શ્રી સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ તકે મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને હનુમાન દાદા સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અર્પે તેવી મંગલ પ્રાર્થના કરી હતી મંદિરના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિઝનને સાકાર કરવા “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત પરીસરમાં વૃક્ષારોપણ કર્યુ હતું. આ તકે પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા સહિતનાં મહાનુભાવોએ પણ દર્શન કર્યા હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.