સાવધાન: રણજીતસાગર રોડની કથળતી હાલત નાગરિકોના જીવ જોખમમાં - At This Time

સાવધાન: રણજીતસાગર રોડની કથળતી હાલત નાગરિકોના જીવ જોખમમાં


સાવધાન: રણજીતસાગર રોડની કથળતી હાલત નાગરિકોના જીવ જોખમમાં

જામનગરમા રણજિત સાગર રોડ પર મારૂ કંસારા હોલની સામેનો રસ્તો એટલો બધો બિસ્માર થઈ ગયો છે કે હવે તે પરિસ્થિતિ જોખમી બની ગઈ છે. આ રસ્તા પર નાના-મોટા ખાડા હોવાની સ્થિતિ તો પહેલાથી જ હતી પરંતુ હવે તો રસ્તાના સળિયા તૂટીને બહાર આવી ગયા છે. આ રસ્તા પરથી રોજબરોજ સેંકડો વાહનચાલકો પસાર થાય છે. આવી સ્થિતિમાં કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.

આ બાબતે જામનગર મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જામનગર મહાનગરપાલિકાની આ ઉદાસીનતા જોઈને એવું લાગે છે કે તે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહી છે.

આ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને વિનંતી છે કે તેઓ આ રસ્તા પરથી પસાર થતી વખતે અત્યંત સાવધાની રાખે. આ સાથે જામનગર મહાનગરપાલિકાને વિનંતી છે કે તેઓ આ રસ્તાની તાત્કાલિક રીપેર કરે જેથી મોટી જાનહાની થતાં અટકાવી શકાય.

આવા બિસ્માર રસ્તાઓ શહેરની છબીને ખરડાવે છે અને સાથે જ લોકોના જીવનને પણ જોખમમાં મૂકે છે. આથી જામનગર મહાનગરપાલિકાએ આ બાબતે ગંભીરતાથી વિચાર કરીને જરૂરી પગલાં ભરવા જોઈએ.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.