જિલ્લા કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળોના સુચારુ આયોજનની બેઠક યોજાઇ - At This Time

જિલ્લા કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળોના સુચારુ આયોજનની બેઠક યોજાઇ


*જિલ્લા કલેકટર શ્રી ની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળોના સુચારુ આયોજનની બેઠક યોજાઇ*
*******
*આગામી તા. ૨૭ સપ્ટેમ્બરના રોજ ઈડર એ પી એમ સી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે*
******
સાબરકાંઠા જિલ્લા કલેકટર શ્રી ડો રતનકંવર ગઢવીચારણ ની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળોના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ઈડર સાપાવાડા એ પી એમ સી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જેના સુચારુ આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. દરેક અધિકારીઓને તેમના વિભાગોની યોજનાઓના લાભાર્થીઓની ઓળખ કરી સાચા લાભાર્થીઓને લાભ મળે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ મેળામાં ૧૬ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે જેમાં નાગરિકોને સાધન સહાય વિતરણ કરવામાં આવશે. તેમજ અન્ય યોજનાકીય માહિતી માટે સ્ટોલ કરવા જણાવ્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટર શ્રી ક્રિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદાર શ્રીઓ તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.