સાબરકાંઠા હિંમતનગર સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાંથી બે મૃતદેહ મળ્યા: - At This Time

સાબરકાંઠા હિંમતનગર સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાંથી બે મૃતદેહ મળ્યા:


સાબરકાંઠા
હિંમતનગર સિવિલના સ્ટાફ ક્વાર્ટર્સમાંથી બે મૃતદેહ મળ્યા:
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર્સના બી-1 બ્લોકમાં 402 રૂમના ગ્રાઉન્ડ ફ્લોર પરથી 401માં રહેતી મહિલા નર્સ છાયાબેન કલાસવાની લાશ મળી આવી હતી, જે અંગે સ્થાનિકોને જાણ થતાં એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. પોલીસ વિભાગ પ્રથમ તો આત્મહત્યાની થિયરી હોવાની લઈને તપાસ હાથ ધરી હતી, પરંતુ તપાસ દરમિયાન તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળી આવેલા મૃતક મહિલાના રૂમ પર પહોંચ્યા હતા. એ દરમિયાન જ તેની સામેના 402 રૂમમાં વધુ એક મહિલા ડિમ્પલબેન ભાવેશભાઈ પટેલની લાશ મળી આવી હતી, જેને લઇને સમગ્ર ઘટના શંકાસ્પદ લાગી રહી છે. પોલીસની તપાસની દિશા બદલાઈ છે. વિવિધ એજન્સીઓ અને પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.
રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.