સુદામડા માં પ્રાસંગિક કાર્યકમ માં ફૂડપોઇસીઝ થતા ૩૦૦ લોકોને અસર. - At This Time

સુદામડા માં પ્રાસંગિક કાર્યકમ માં ફૂડપોઇસીઝ થતા ૩૦૦ લોકોને અસર.


સાયલા ના સુદામડા માં ધાર્મિક પ્રસંગ યોજાયો હતો જેમાં ૨૦૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માં કોઈ કારણોસર લોકોએ ભોજન લીધા બાદ ફૂડપોઇસીઝ ની અસર થઈ હતી જેમાં ૩૦૦ લોકો થી વધુ ને અસર જોવા મળી હતી. સુદામડા ગામમાં ફૂડપોઇસીઝ ની અસર થતા જ સુદામડા આરોગ્ય કેન્દ્ર તથા સાયલા આરોગ્ય વિભાગ ની ટીમ દોડી આવી તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમ તથા 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. સુદામડા સરપંચ ભાભલુભાઈ ખવડ સહીત સુરેન્દ્રનગર ડેપ્યુટી કલેક્ટર તથા જીલ્લા ના અધિકારીઓ તાલુકાકક્ષાના અધિકારીકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા આરોગ્ય તપાસ માં કોઈ ચિંતાજનક કેશ જોવા ના મળતા લોકોમાં રાહત થઈ હતી. સામાન્ય ઝાડા ઉલ્ટી ની અસર જોવા મળી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.