ખેરાલુ કોલેજમાં શિક્ષક દિન ઊજવાયો - At This Time

ખેરાલુ કોલેજમાં શિક્ષક દિન ઊજવાયો


આર્ટસ અને કોમર્સ કોલેજ ખેરાલુમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં રાષ્ટ્રીય શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના જ વિદ્યાર્થી ભાઈ બહેનો આચાર્ય, અધ્યાપકો, કારકુન અને સેવક બન્યા હતા. દિવસનું કોલેજનું સંચાલન આ વિદ્યાર્થીઓએ જ કર્યું હતું. બધા જ તાસ પૂર્ણ થયા બાદ આ વિદ્યાર્થીઓએ કોલેજના અધ્યાપકોનું પેન આપીને સન્માન કર્યું હતું. કોલેજ તરફથી અધ્યાપકો બનેલા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનું કોલેજના સ્કાફથી સન્માન કરાયું હતું. ગોસ્વામી કરણપુરી અને સંજનાબેને આચાર્યની ભૂમિકા અદા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચૌહાણ ઉષાએ કર્યું હતું.


7016731491
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.