જસદણના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે જસદણ આટકોટ બ્રહ્મક્ષત્રિય પરિવાર દ્વારા સરસ્વતી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યુ - At This Time

જસદણના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે જસદણ આટકોટ બ્રહ્મક્ષત્રિય પરિવાર દ્વારા સરસ્વતી સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યુ


આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વિરમગામ નીવાસી જ્ઞાતી અગ્રણી હરીશભાઈ મચ્છરે હાજરી આપી હતી. શિક્ષણને અનુલક્ષીને મહિતી આપવા માટે કલ્પનાબેન પડિયા ખાસ ઉપસ્થિત રહેલા હતા. જસદણ તથા આટકોટના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ બહારગામથી પધારેલા મહાનુભાવોએ પ્રસંગ અનુરૂપ પોતાના મંતવ્ય રજુ કર્યા હતા. જેમાં હરીશભાઈ મચ્છરે બાળકોને ધાર્મિક સવાલો પૂછયા હતા અને આ માહિતીનો ખ્યાલ રાખવાનું મહત્વ સમજાવ્યું હતું. કલ્પનાબેને શિક્ષણને લગતી માહિતી આપીને તેમા આવતી મુશ્કેલીનો સામનો કઈ રીતે કરવો તે સમજાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.